એક સ્ત્રી બીજી સ્ત્રીના હ્રદયને કેટલી સરળતાથી અને સુંદર રીતે સમજી શકે છે એનો એક અદભુત દાખલો. હું કદાચ મારી કવિતા પર આખી બુક ભરીને લખી શકું પણ મેં લખેલી ચાર પાંચ લાઈનના અછાંદસ કાવ્યની ગહેરાઈને બીજી સ્ત્રી આટલી કળાત્મક રીતે પોતાના શબ્દોમાં કંડારી શકે એ મારા માન્યામાં આવે એવી વાત નથી. પણ પછી જ્યારે એ નામ લતાબેન હિરાણીનું છે એ વાંચ્યું પછી તો બધા જ શક દૂર થઈ ગયા. આ કવિયત્રી, લેખિકા માટે કશું અશકય નથી. મને જેટલા અભિનંદન મારા કાવ્ય માટે મળ્યા એટલાં જ લતાબેનના કાવ્યના આસ્વાદ માટે પણ મળ્યાં. મારા કાવ્યોથી એમનો લેખ સુંદર બન્યો કે એમના આસ્વાદથી લોકોમાં મારા કાવ્યો પ્રિય બન્યા..આ સવાલને બાજુમાં મૂકી બેય એકસાથે માણતાં અદભુત વાતાવરણ ઉભું થઈ ગયું.
આટલી સુંદર રીતે મારા કાવ્યોને શણગારવા બદલ લતાદીદી આપનો ખૂબ ખૂબ આભાર.
-સ્નેહા.