લોહી માંસને ત્વચાના વાઘા આપ્યા,
હૈયાના અમી મારે રુદિયે રેડયા.
તારી ભક્તિના બીજ
મારી પ્રાર્થના-ગર્ભમાં રોપ્યા !
તારા સ્મિતથી મારા મનોમસ્તિષ્કમાં
ખુશખુશાલ ઘંટારવ વગાડ્યા.
તારી કરુણાના આચમન જળે
મારા દિમાગને નિર્મળ બનાવ્યું.
પ્રેમનો નશો કરાવી,
પૂર્ણપણે જાગ્રત અવસ્થામાં રાખી,
હવે સકલ વિશ્વ પવિત્ર પવિત્ર
એક મંદિર..!
-સ્નેહા પટેલ