સૌરાષ્ટના પ્રતિષ્ઠિત દૈનિક અખબાર ‘ફૂલછાબ’માં ‘નવરાશની પળ’ કોલમના લેખ ‘વાત થોડી હૂંફની’ અને ‘વાત બે પળની’ પુસ્તકોરુપે પ્રકાશિત થઈ રહ્યાં છે ત્યારે અનુભવાતી મારી ખુશી કાયમની જેમ જ એક વાર ફરીથી આપ સૌ મિત્રો સાથે વહેંચું છું.
જેમના સહયોગ વગર આ કામ મારા માટે કદાચ બહુ જ અઘરું થઈ પડત એવા
-ફૂલછાબના તંત્રીશ્રી કૌશિકભાઈ મહેતા
-બુકશેલ્ફ પ્રકાશનના હીરેનભાઈ શાહ
-બુકડિઝાઇનર રણમલભાઈ સિંધવ
– પ્ર્રૂફરીડર કેયુરભાઈ
આ સર્વેનો અને સદાથી મારું લખાણ વાંચીને મને પ્રોત્સાહન આપનારા મિત્રો -વાંચકો સર્વેનો દિલથી આભાર.
-સ્નેહા પટેલ