Taajgi


Mઘણાં લોકો અભિવ્યક્તિના નામે અહી- તહી વિચારોની ઉલટી કરતા ફરતા હોય છે. ને મગજમાં – દિલમાં આવ્યું બેબાકપણે બોલી – લખી નાખ્યું.

માનવીના મગજમાં સેંકડો વિચારોની આવનજાવન હોય છે.મનુષ્યનો એની પર ખાસ કોઈ કન્ટ્રોલ નથી હોતો. અમુક સિદ્ધ કહેવાતા લોકોને પણ આ વાત નિર્વિવાદપણે નડતી જ હોય છે. તમારા વિચારોને તમારા જીવન, આજુબાજુની દુનિયા, તમારી મહત્વાકાંક્ષા,લાગણી, ગમા અણગમા સાથે સારી એવી ગાઢ દોસ્તી હોય છે. જો એમાંથી તમે વ્યક્ત થવા માટે એમાંથી યોગ્ય વિચારની પસંદગી કરી શકો તો તમારી અડધી સમસ્યાઓનો ત્યાં જ ઉકેલ આવી જાય છે.

ઉદભવતા વિચારોમાંથી યોગ્ય વિચારની પસંદગી જેટલી સમજણના બીજ આજના જ શુભ ચોઘડિયે સર્વેમાં રોપાય ને વિકાસ પામે એવી શુભેચ્છા સાથે શુભ સવાર.

સ્નેહા પટેલ.

1-5-2019