સાહિત્યજગતમાં હોવું એટલે એકબીજાની ખોદણી, પગખેંચાઈ, ઈર્ષ્યા, પગચાટણી, સ્ટેજ – નામ માટે કાવાદાવા કરવાના બદલે નવું લોકોપયોગી સર્જનકાર્ય કરવું એ મુખ્ય કાર્ય /ફરજ સમજુ છું.
થોડાંક જ સ્ટેજ -મેળાવડાંઓના અનુભવો પછી એનો મોહ સાવ ઉતરી ગયો મને. ત્યાં જઈને નેગેટિવિટી ભેગી કરવી એના કરતા ઘરમાં બેસીને સર્જનકાર્ય કરવુ વધુ પ્રિય. મેડલોની ખેવના ય નહીં એટલે આવા પ્રોગ્રામોની કોઈ જ જરૂરિયાત નહીં મારે. વાંચનારા મને શોધીને વાંચી લે જ છે ને ઉમળકા ભર્યો પ્રતિસાદ પણ આપી દે છે..આપણે રાજી રાજી
-સ્નેહા.