
મારા લખાણની પ્રોસેસ વિચારતા એવું લાગ્યું કે હું ફટાફટ કોઈને સંભળાવી દેવા કે બતાવી દેવા ઉતાવળમાં બોલવાનું મોટાભાગે પસંદ ન કરું. સામેવાળાને બોલીને ( ઘણી વખત મજાકના નામે ટોન્ટ પણ હોય ) એ બોલીને ખુશ પણ થવા દઉં.. મને એમની એ વિચિત્ર ખુશીથી કોઈ ફરક નથી પડતો…મારું ખરું કામ તો એમના બોલાઈ લીધા પછી એમના વર્તન પર વિચાર આવે ત્યારે ચાલુ થાય છે ને પછી એના પર લખાય છે. બાકી મારી સૌથી મોટી પ્રશંસક કે ટીકાકાર હું પોતે જ છું એ ઘણી વખત કહી ચુકી છું. વળી મારું સત્ય મારા પોતાના માટે જ સત્ય હોય છે, બીજાઓ પણ એવું માને એવો દુરાગ્રહ ક્યારેય નથી સેવ્યો !