હે પ્રભુ!
જો તું કોઈક વાર મને ક્યાંક મળી જાય
અને કહે કે,
‘માગ, માગ, જે માગે તે આપું.’
ત્યારે, હે પ્રભુ,
મને મૂઢ બનાવી દેજે.
જેથી હું કાંઈ બોલી ના શકું.
ફક્ત તારી સામે નજર માંડી રહું.
કારણ… તું તો અંતરયામી છે…
અને જો આપણું મળવાનું
નિશ્ચિત જ હોય
ને મને મૂઢ બનાવી દેવાનો ન હોય
તો, હે પ્રભુ,
તું મને ન મળે તે જ બહેતર છે,
…કારણ કે મારાથી કાંઈક મગાઈ જશે
તો હું કેવો ઉઘાડો…
– દિનેશ દલાલ
આ અછાંદસ કાવ્યમાં સરળ અને સુંદર મજાની પ્રાર્થના સાથે કવિની ખુમારીના દર્શન થાય છે. પ્રાર્થના ઇશ્વર અને એના ભકત વચ્ચેની અતૂટ સંબંધનાળ છે. ભક્તે એના પરમપ્રિય ઇશ્વરને કદી સદેહે જોયો નથી. એ તો ફકત વિશ્વાસની કોમળ અને નાજુક દોરીથી એની સાથે બંધાયેલો છે. એ સતત સજાગ રહીને પોતાના એકાંતને ઇશ્વરની સ્તુતિ દ્વારા ભરી દે છે. પ્રાર્થના દ્વારા એ સતત પોતાના અંતરમનના શ્રધ્ધા-દીપમાં ઉંજણ કરતો રહે છે અને એ ધ્રુવતારકના ઓજસથી એનો જીવનમાર્ગ સહજ ને સરળ બની ગયેલો અનુભવે છે.
આમ તો આપણે એમ જ માનીએ – અનુભવીએ છીએ કે પ્રાર્થનામાં સુંદર મજાનો લય અને શબ્દો હોય તો એની અસર અલગ જ નીપજે પણ કવિ પાસે તો એ બધાની ઉપરનો અનમોલ અસબાબ છે અને એ છે હ્રદયનો ભાવ! દિલના ઉત્કટ ભાવથી નીકળેલા સાદા શબ્દો અંતરના પરમોચ્ચ ઉચ્ચાર સાથે પ્રગટ થાય તો અનન્ય બની રહે છે.
એક સંત કવિએ કહ્યું છે કે, “મૃગકી નાભિ માંહિ કસ્તુરી, ઢુંઢત ફિરત બન માંહિ !” કવિ પોતાની પ્રાર્થના દ્વારા આવી પતંગિયા વૃતિમાંથી બહાર નીકળી અને જગતનિયંતા સાથે મનનો દોર મેળવવાનો યત્ન કરતા હોય છે અને ત્યાં જ એમના મનમાં એક વિચાર આવી જાય છે કે આ ભાવથી રીઝીને ભગવાન કદાચ એમની સન્મુખ આવીને ઉભા રહેશે અને કહેશે કે, ‘માગ માગ , જે માગે તે આપું’ તો ? એવા સમયે પોતે એક સામાન્ય માણસ શું અનુભવશે ? થોડું વિચારતા એમને લાગે છે કે આ અદભુત તારામૈત્રકનું મહામહેનતે ફળેલું ચોઘડિયું માણવાની વેળા – ઇશ્વરદર્શનના આ લ્હાવાથી એમના લાગણીના આવેગો એમના તાબામાં નહી રહે અને પરમ ચૈતન્ય સાથે સધાયેલો તાર તોડીને એ માનવસહજ સ્વભાવને વશ થઈને કોઇ તુચ્છ માંગણી કરી બેસશે તો કેવી શરમજનક સ્થિતી સર્જાઈ જશે ! પોતાને જે મળવાનું છે એ તો હજાર હાથવાળો એની કૃપા દ્વારા પોતાની સાડાત્રણ ઇંચની હથેળીમાં અવિરતપણે વરસાવ્યા જ કરવાનો છે એમાં એને કશું કહેવાની ક્યાં જરુર જ છે ! આખા જગનું સુપેરે સંચાલન કરનાર એ મહાકાબેલ સંચાલકને એની ફરજ સામે શબ્દનિર્દેશ શું કામ કરવો ? એથી કવિ એવી ઇચ્છા જાહેર કરે છે કે ,’ તું મને મળે ત્યારે મારા સાનભાન હરી લઈને મને મૂઢ કરી દેજે જેથી હું કશું જ બોલી ના શકું અને મારી લાજ સચવાઈ જાય. વળી જો તું મને મૂઢ ના કરી શક્તો હોય તો મહેરબાની કરીને મને દર્શન ના આપીશ, માગ માગ માગે તે આપુ જેવી લલચામણી વાતો ના કરીશ. તું અંતરયામી છે. તને મારી જરુરિયાતો – મારી લાયકાતો – મારી પાચનશક્તિ એ બધાની મારા કરતાં વધુ સમજ અને પરખ છે. ખાલીખોટું શબ્દોમાં માંગણી કરીને તારી સમક્ષ ઉઘાડા પડી જવું અને તારા વિશ્વાસમાં અશ્રધ્ધા દાખવવી એના કરતાં સારું છે કે તું મને મળીશ જ નહીં. હું તો તારી ભક્તિના પ્રસન્નતા, સહજતા, સમતાના ભાવવિશ્વમાં ખુશખુશાલ છું નાહકનું માંગ્યાની નાનમ શીદ વહોરી લેવી !
મનુષ્ય અને આયુષ્ય એ બે ય વચ્ચેનો તું સેતુ છે. મારી પ્રતિક્ષાનો આનંદ અને આનંદની પ્રતીક્ષા એટલે માત્ર તારા દર્શન ! આંખોથી પામી શકાતા ચિરકાલીન આનંદ ઉપર મુખેથી બોલાતા શબ્દોની બેડી બંધાઈ જશે તો મને આખું જીવન પછતાવો થશે . તારી છત્રછાયામાં મારી સઘળી તુચ્છતા, અલ્પતા નાશ પામે એવી આશા સેવું છું મારા પરમાત્મા ! મારી લાજ હવે તારે હાથ !
-sneha patel
VERY TOUCHING , REMINDS ME OF THE SONG : NIRBAL SE LAADAEE HAI BALVANKE…
AND ,SHRE PUNKAJ MALIK / SHRE JAGMOHAN SONG : TRE MANDIR KA HOON DEEPAK JAL RAAHA.
LikeLike
પ્રભુ ,હું પામર મનુષ્ય , તું મારું આયુષ્ય
જીવાડે ત્યાં સુધી જીવવું છે મારે ,
ગુણ ગાન તારાં કરતાં રહીને ,
એકદિન,તારામાં ભળી જાવું છે મારે
LikeLike
namaskar snehabahen. spardhama apani varta kyare mokalo chho ? nimisha dalal
LikeLike
સાચીવાત મેમ , બાકી તો મારામત મુજબ આપણે સૌ નાના હોય કે ગમે તેટલા મોટા ભગવાન ના મંદિર્ માં ‘ભીખારી’ બની ને જ જૈયે છિયે. સરસ લખાણ કુન્દનિકા કાપડિયા ની પેલી કવિતા યાદ આવિ જાય! આભાર્
LikeLike
thnx diptiben..
LikeLike