20th dec. 2014- NavGujarat Samay -my sher on page no 10 :-)
એક જણ ધારદાર થઈ જીવે,
ને બીજો તાર તાર થઈ જીવે !
એક સુખની ને બીજી દુઃખની છે,
કઈ કથાનો તુ સાર થઈ જીવે ?
જ્યાં નથી કોઇ પ્રતિક્ષારત,
ત્યાં કોઇ આવનાર થઈ જીવે !
ઘર અને બહાર કંઈ ગણાય નહીં,
આમ શું કામ દ્વાર થઈ જીવે ?
હું ય જીવી શકુ ઘડીક અહીં,
કાશ થોડા ઉદાર થઈ જીવે !
સ્નેહા પટેલ.