એક જણ ધારદાર થઈ જીવે


sneha patel - navgjarat samay - 20th december page 10

20th dec. 2014-  NavGujarat Samay -my sher on page no 10 :-)sneha patel

એક જણ ધારદાર થઈ જીવે,
ને બીજો તાર તાર થઈ જીવે !

એક સુખની ને બીજી દુઃખની છે,
કઈ કથાનો તુ સાર થઈ જીવે ?

જ્યાં નથી કોઇ પ્રતિક્ષારત,
ત્યાં કોઇ આવનાર થઈ જીવે !

ઘર અને બહાર કંઈ ગણાય નહીં,
આમ શું કામ દ્વાર થઈ જીવે ?

હું ય જીવી શકુ ઘડીક અહીં,
કાશ થોડા ઉદાર થઈ જીવે !

સ્નેહા પટેલ.