unbetable – 33


ઘણીવાર મારામાંનો વિવેચક તીવ્ર રીતે મારા મનોમસ્તિષ્ક પર સવાર થઈ જાય છે, એને હું મારી સર્જનાત્મકતાની આણ આપીને ધીરજથી પાછો સાચા રસ્તા પર લઈ આવું છું. મારું કામ ફકત નવું નવું સર્જનાત્મક કાર્ય કરવાનું છે..લોકોની ખોડખાંપણો કાઢીને નીચા બતાવવાનું મહાન કામ કરીને મારે મારો રસ્તો ભૂલીને મારી મંજિલથી દૂર નથી થવું.

-સ્નેહા.

unbetable -32


સંબંધોમાં ભૂલ કાયમ બીજા પક્ષની જ હોય છે.આ બીજો પક્ષ એટલે કોણ એના પર ધ્યાનથી વિચારાય, ખુલ્લા દિલથી હકીકતોનો સ્વીકાર થાય તો બધી સમસ્યાઓનો ઉપાય હાથવેંતમાં જ હોય છે.
-સ્નેહા પટેલ.