સ્વીકાર અને સમજણ


phoolchhab > navrash ni pal column > 2-05-2012’s artical.

http://www.janmabhoominewspapers.com/Admin/Data/Epapers/02_May/Panchamarut_01.pdf

સમી સાંજનો, સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો
લળી લળી હું વીણું ત્યાં તો ચાંદે જઈ સંતાયો……..

-ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

કરસનભાઈ આજે બહુ અસ્વસ્થ હતાં. આજકાલ એ પોતાના ધાર્યા સમયમાં ઇચ્છિત કાર્ય પતાવી શકતા નહતા ..થાકી જતા હતા..અવસ્થાનો સૂર્ય ધીમે ધીમે પસ્ચિમ દિશા પકડતો જતો હતો..ઢળતો જતો હતો.. આ ઢળતો સૂરજ એમની શારિરીક શક્તિને ગ્રહણ લગાવતો હોય એમ અનુભવાતું હતું. હાર માનવાની ટેવ ના હોવાથી કરસનભાઈને આ પરિસ્થિતીનો સામનો કરવાનું થોડું આકરું લાગતું હતું.

થોડા સમયથી ફેકટરીમાં એક નવા આર્ટીકલ પર ‘ r & d’  ચાલતું હતું. લેટેસ્ટ ટેકનોલોજી અને મટીરીઅલની ક્વોલીટીના ધોરણો જાળવવાના –  બેય સારો એવો મગજ કસના્રું અને સમય માંગી લેતું કાર્ય હતું.  કરસનભાઈની આંખો સમક્ષ રહી રહીને આ કામના જોખમોનો ગ્રાફ જ નાચતો રહેતો હતો. એમાંથી મન વાળીને આ પ્રોજેક્ટના સારા પાસા પર વધુ ધ્યાન આપીને ફાયદો શોધવાના પાસા પર એ મગજ કોન્સન્ટ્રેટ કરી જ નહતા શકતા. એવામાં એમની નજર સામે ‘એલઈડી’માં ચાલતી મેચ પર પડી..આ મેચમાં તો સચિનની ૧૦૦મી સદી થવી જ જોઇએ..ચાલ થોડી વાર મેચ જોઇ લેવા દે તો થોડું મગજ ડાયવર્ટ થશે. કરસનભાઈએ ખાસો એવો સમય મેચ જોવામાં ગાળ્યો ..સારું લાગ્યું..ફરીથી એ પ્રોજેકટ વિશે વિચારવા બેઠા.. પાછા જ્યાંથી શરુ કરેલું ત્યાં જ આવીને અટકી ગયા..મગજ સાથ કેમ નથી આપતું-એમને ગુસ્સો આવતો હતો …આટઆટલા ઉધામા છતાં હાથતાળી ..આવું તો કેમનું ચાલે..

અકળામણમાં ને અકળામણમાં કામકાજ અટકાવીને ફેકટરી બંધ કરીને એમણે ઘર તરફ પ્રયાણ

કર્યું.

ઘરે પહોંચીને સીતાદેવી..એમના પત્નીને બેગ આપીને સીધા બાથરુમમાં જઈને શાવર લઈને ફ્રેશ થઈને સોફા પર બેઠા.

એમના કપાળમાં પડ્તા સળમાં સીતાબેન એમની ચિંતા સ્પષ્ટપણે વાંચી શકતા હતા. ચા અને નાસ્તાની ટ્રે લઈને એમની બાજુમાં બેઠા..અને હળ્વેથી એમની ચિંતાનું કારણ પૂછતાં કરસનભાઈએ બધી વાત માંડીને કરી…

‘આજકાલ ધાર્યા સમયમાં ધાર્યુ કામ જ નથી થતું સીતા..આવું તો થોડી ચાલે..!’

‘અરે, પણ હવે તમારી ઉંમર સામે તો જુવો..’

એમનું વાક્ય અધવચાળેથી કાપીને જ કરસનભાઈ બોલ્યા:

‘મારું કામ માનસિક છે..એમાં ઊંમરને કોઇ લેવા દેવા ના હોય..માનસિક રીતે તો હું એકદમ પરફેક્ટ છું..કોઇ જ ટેન્શન મને અડધા કલાકથી વધારે હેરાન ના કરી શકે..મારું મગજ હજુ હું ધારું એમ ‘ડાયવર્ટ’ કરી શકું છું..ક્યાંય પણ અટકી નથી જતો..તો પણ આવું કેમ થાય છે  એ જ નથી સમજાતું..?’

સીતાબેન થૉડા અટ્કયા..પતિદેવનો ‘ઇગો હર્ટ’ ના થાય એમ સાચવીને હકીકત રજૂ કરવાની હતી..

‘જૂઓ..મગજ ડાયવર્ટ કરી શકવું..એ એક સારી વાત છે..પણ એનાથી કામ પતી થોડી જાય.. ?

તમારું મગજ અને શરીર હવે પહેલાં જેટલા કાર્યશીલ ના જ હોય એ હકીકતનો સ્વીકાર કરીને ફરીથી આ કામને હાથ પર લો. દરેક કાર્ય માટે પહેલાં કરતા થોડો સમય વધુ ફાળવો.  મગજ ડાયવર્ટ કરી શકવું એ ટેન્શનને થોડો સમય માટે દૂર ધકેલી દે છે એ વાત સો ટકા સાચી..પણ એ ટેન્શન પતી તો નથી જતું.. શરીરે જોડે, મગજ જોડે હજુ પણ પહેલાંની જેમ જ  કામની આશા રાખશો તો ઢગલો વખત મગજ ડાયવર્ટ કરવાની શક્તિ હશે તો પણ એ કામમાં ફરીથી જોડાતા એ મર્યાદાઓ નડશે જ અને તમે તમારી મરજી મુજબ કામ પાર નહી પાડી શકો. હકીકતોનો સ્વીકાર તો કરવો જ પડશે..દરેક જગ્યાએ આ સ્વીકાર બહુ જ મદદરુપ થશે. બાકી દિલથી જુવાન એટલે જુવાન જ કહેવાઓ જેવી વાતો દરેક જગ્યાએ કામ ના લાગે..ઉંમર ઉંમરનું કામ કરે જ અને શરીર – મગજ એની ચાડી ખાય જ..સ્વીકાર સિવાય કોઇ જ રસ્તો નથી તમારી પાસે..

કરસનભાઈ વિચારી રહ્યાં…આ વાતની સમજ તો અંદરખાને એમને પણ પડતી હતી પણ એમનો માંહ્યલો એને સ્વીકારવા ક્યાં દેતો હતો..!!

અનબીટેબલ  :-   સ્વીકાર અને સમજણ બે ય અલગ વાત છે.