હે મારા વ્હાલા પ્રભુ..તેં જ કહેલું છે ને કે,
’જે પણ કામ કરો એ દેખાડા વગર, ઘોંઘાટ કે શોરબકોર કર્યા વગર મનમૂકીને કરો..તો આ વાત પેલા મેહુલિયાને કેમ સમજાવતો નથી. રોજ બે ચાર છાંટાની સખાવત કરીને , સતત ઘેરાયેલા વાદળોને છેતરીને, શરમ નેવે મૂકીને કેવો નિર્લજ્જ થઈને નાસી જાય છે.. આમ રોજ ’ટાઈમ પ્લીઝ’ તો ના જ કરાય ને.. !!!
સ્નેહા….